વડતાલમાં લક્ષ્મીનારાયણદેવની મૂર્તિના અભિષેકના 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને રામકૃષ્ણદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, પરમ મૌન ઉપાસક તપોમૂર્તિ મોહનપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી આ રવિવારે સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા ‘સર્વજીવનહિત્વ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવામાં 200 વિકલાંગ, અનાથ અને જરૂરિયાતમંદ યુગલોને જાતિ-ધર્મના ભેદભાવ વગર લગ્ન કરાવવામાં આવશે. વિકલાંગોને 700 હાઈટેક કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવશે અને 200 વ્હીલચેર, 200 વોકર અને 2000 વોકિંગ સ્ટીકનું વિતરણ વૃદ્ધાશ્રમના વડીલોને કરવામાં આવશે અને વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે 200 સિલાઈ મશીન આપવામાં આવશે.
તેમજ 27-01-2024 શનિવારના રોજ ભારતીય સંસ્કૃતિના જતન માટે 200 બ્રહ્મબટુકોને યજ્ઞોપવીત આપવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ સરકારી આંગણવાડીઓના 23,000 વિદ્યાર્થીઓને મફત જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાચીન હિન્દુ સંસ્કૃતિને પોષવાના હેતુથી શસ્ત્રપૂજા માટે શ્રીકષ્ટભંજનદેવની પ્રસાદપૂર્ણા મૂર્તિ, 5100 તલવારો, તુલસી કુંડ, ગીતાજી, શિક્ષાપત્રી અર્પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ધાર્મિક સમાજ સેવાને આધ્યાત્મિક બનાવવા માટે સ્વામી નિત્યસ્વરૂપદાસજી સરદાર દ્વારા સંચાલિત 1392-1393 ઘરસભા અને 85મી રવિસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
