ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં બે સમુદાયો વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસ અધિક્ષક વિજય પટેલના જણાવ્યા મુજબ, મયુર ભોઇ અને ઇમરાન કાદરી નામના બે શખ્સો વચ્ચે પૈસાની બાબતે તકરાર થતાં આ અથડામણ થઇ હતી. મામલો વણસી જતાં બંને કોમના સભ્યોએ એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં રાજુ ભોઇનું મોત થયું હતું.
ટોળાએ તેને પાઇપ વડે માર માર્યો હતો
રાજુના પુત્ર વિપિને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પિતાને ટોળાએ તેના ઘરની બહાર ખેંચી લીધા હતા અને પછી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, રાજુએ ભીડને શાંત રહેવા અને તેના ઘરની નજીક અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજુની હત્યા માટે 30 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમાંથી 17 લોકોની ઓળખ કરવામાં આવી છે. તે જ સમયે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, એફઆઈઆરમાં નોંધાયેલા નામોમાં અયાઝમિયા કુરેશી, ઈમરાન કુરેશી, મુનાફ કુરેશી અને મકબૂલ કુરેશીનો સમાવેશ થાય છે.
