દેશના કોઇ પણ ખૂણે માન્ય ગણાતી ભારત સિરિઝ લેવાનું ચલણ વધ્યું : 3 વર્ષમાં 289 નંબર લેવાયા

By Abhishek Raghuvanshi
2 Min Read
  • શહેરમાં સૌથી વધુ 85 ફોર વ્હીલરમાં ભારત સિરિઝ ફાળવાઈ

હવે સુરતમાં કામ કરતા અને અન્ય રાજ્યોમાં ટ્રાન્સફર મેળવનારા લોકોમાં તેમના નવા વાહનોની ખરીદી પર ટેક્સ રિફંડ અને અન્ય મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે ભારત સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી ભારત સિરિઝ લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાનગી અને સરકારી કર્મચારીઓ પોતાના વાહનોમાં હવે BH (ભારત સિરિઝ) નોંધાવી રહ્યા છે. ભારત શ્રેણી હેઠળ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં શહેરમાં કુલ 85 નવા ફોર વ્હીલર નોંધાયા છે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં સુરત આરટીઓ માંથી કુલ 289 લોકોને આ ભારત સિરિઝ ફાળવાઈ છે.

નવા વાહનોમાં ભારત સિરિઝ લેવાનો ક્રેઝ વધી રહ્યો ​​​​​​​
નોંધનીય છે કે, ભારત શ્રેણી નંબર ખાનગી અથવા સરકારી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના ખાનગી વાહનો માટે જ BSમાં નોંધાયેલા છે. અલગ અલગ રાજ્યોમાં ઓફિસ ધરાવતા અને ટ્રાન્સફર મેળવનારા લોકો માટે ભારત સિરિઝ સૌથી વધી પ્રિય બની છે. આ સિરિઝમાં અન્ય રાજ્યમાં પોલીસની હેરાનગતિ અથવા તો આરટીઓના નીતિ નિયમોથી અનેક પ્રકારની રાહત મળે છે.

ભારત સિરિઝના કુલ 85 નવા ફોર વ્હીલર નોંધાયા
​​​​​​​
આરટીઓએ જણાવ્યું હતું કે, આ સિરિઝમાં કોઈપણ કંપની અથવા સંસ્થાની પરિવહન કેટેગરીના વાહન અથવા કોમર્શિયલ વાહન BSમાં નોંધણી કરી શકશે નહીં, આ ફક્ત ખાનગી માલિકીના વાહનો માટે જ લાગુ છે. આ સાથે BS શ્રેણીના વાહનને કોઈપણ રાજ્યમાં લઈ જઈ શકાય છે અને તે વન નેશન વન ટેક્સ હેઠળ હશે. આ માટે અન્ય રાજ્યમાં અલગ ટેસ્ટ ભરવાની જરૂર નથી. આ BH સિરિઝનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાય ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓના કર્મચારીઓ પણ ઉઠાવી શકે છે. ખાનગી સેક્ટરની કંપનીઓના ઓફિસ 4થી વધુ રાજ્યોમાં હોય તેઓ લાભ લઈ શકે છે.

ક્યાં વર્ષમાં કેટલા વાહનો નોંધાયા
4016485
202120222023
– 2023ના આંકડા માર્ચ સુધીના
Exit mobile version