ગુજરાતના સુરતમાં મંગળવારે એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો. સુરતના પલસાણા વિસ્તારમાં ગારમેન્ટ ડાઈંગ ફેક્ટરીની સેપ્ટિક ટાંકીમાં ગૂંગળામણથી ચાર મજૂરોના મોત નીપજ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે સાંજે પલસાણા-કડોદરા રોડ પર આવેલી ફેક્ટરીમાં બની હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે બે કામદારો બેભાન થઈ ગયા હતા અને તેમને બચાવવાનો પ્રયાસ કરતાં વધુ બે કામદારો પણ બેભાન થઈ ગયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચારેયને ટાંકીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃત્યુ પામેલા તમામ લોકો બિહારના હતા
અધિકારીએ કહ્યું કે મૃતકો બિહારના રહેવાસી છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
