ત્રણ શનિવાર પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ રાખવાનો નિર્ણય:પાસપોર્ટનો બેકલોગ ઘટાડવા શહેરમાં 1620, રાજ્યમાં 12 હજાર પડતર અરજીનો નિકાલ થશે

By Abhishek Raghuvanshi
2 Min Read
  • રજા છતાં 15 જુલાઈથી સતત ત્રણ શનિવાર પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

હજુ પણ નવા કે રિન્યૂ પાસપોર્ટ માટે નોર્મલ કેસમાં દોઢ મહિને એપોઇન્ટમેન્ટ મળી રહી છે. પાસપોર્ટની અરજીઓનો બેકલોગ વધી રહ્યો હોવાથી વિદેશ ફરવા કે અભ્યાસ અર્થે જનાર લોકો હેરાન થઇ રહ્યા છે. પાસપોર્ટની મંદરગતિએ ચાલતી પ્રક્રિયા સામે વિદેશ મંત્રાલય સુધી ફરિયાદો થઈ હતી.

પાસપોર્ટની અરજીઓનો બેકલોગ વધી રહ્યો
અરજીઓનો બેકલોગ ઘટાડવા ત્રણ શનિવાર પીસએસકે ખુલ્લા રાખી પેન્ડિંગ 9000 અને પીઓપીએસકમાં ત્રણ હજાર મળી કુલ 12000 એપોઇન્ટમેન્ટ રિલીઝ કરાશે. જો કે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે જો આ કામગીરી વેકેશનમાં શરૂ કરવામાં આવી હોત તો હજારો અરજદારોને સમયસર પાસપોર્ટ મળી જાત.

પોતાની એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શનિવારે કરી શકશે
અમદાવાદના મીઠાખળી, વિજય ચાર રસ્તા, વડોદરા, રાજકોટ એમ ચાર પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે) માં ત્રણ હજાર અને રાજ્યના 21 પીઓપીએસકેમાં 1100 એપોઇન્ટમેન્ટ રિલીઝ કરાશે. જે અરજદારોએ નોર્મલ કેસમાં એક મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળી છે તેઓ પોતાની એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શનિવારે કરી શકશે.

તત્કાલ પાસપોર્ટમાં બીજા દિવસે એપોઇન્ટમેન્ટથી રાહત
અરજદારોને રાહત ફક્ત એટલી મળી છે કે તાત્કાલ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટમાં જે 15 દિવસનો વેઇટીંગ પિરિયડ હતો તે ઘટી બીજા દિવસની તારીખ મળી રહી છે.

- Advertisement -
એપોઈન્ટમેન્ટ
શહેરસંખ્યા
મીઠાખળી820
વિજય ચાર રસ્તા800
વડોદરા792
રાજકોટ510
કુલ2922
Exit mobile version