ગમખ્વાર અકસ્માત:વડોદરાના જાંબુવા બ્રિજ પાસે બે કાર, બે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત, બે લોકોનાં મોત, શરીરના ફુરચેફુરચા ઊડ્યા

By Abhishek Raghuvanshi
4 Min Read
https://timenews.today/img/2022/04/Sequence-01.mp4
  • જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે

વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે આજે સવારે બે બાઇક, 2 કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇકસવાર બે લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું હતું. કમકમાટીભર્યા અકસ્માતને પગલે હાઇવે પરનો ટ્રાફિક-વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પરિણામે, હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ લોકો રોડ પર ફંગોળાયા
જાંબુવા બ્રિજ પાસે આજે સવારે એક ડમ્પરે બે બાઇકસવારોને અડફેટમાં લીધા હતા. તેની સાથે બે કારચાલકને પણ અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ઉપર પસાર થઇ રહેલાં એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઇ ગયા હતા, જેમાં બે લોકોનાં સ્થળ પર મોત થયાં હતાં. વાહનની અડફેટે આવી ગયેલા બાઈકસવારોના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને માંસના લોચા રોડ ઉપર વેરણછેરણ થઈ ગયા હતા. મૃતકોની ઓળખ હજી સુધી થઇ શકી નથી. જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે.

જાંબુવા બ્રિજ પાસે આજે સવારે એક ડમ્પરે બે બાઇકસવારોને અડફેટમાં લીધા હતા.

હાઇવે પર ટ્રાફિકજામ થયો
આ બનાવને પગલે વડોદરા સુરત અને સુરતથી વડોદરા તરફ હાઇવે માર્ગ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ ગોઝારી ઘટનામાં પ્રજાપતિ પરિવારના જ બે સભ્ય મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે. મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જિજ્ઞશ પટેલે જણાવ્યું હતું કે આજે સવારે આ વિચિત્ર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયાં છે અને એ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. મૃતદેહોનો કબજો લઈને એમને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

બે કારચાલકને પણ અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત
અન્ય એક અકસ્માતમાં વડોદરા નજીક પદમલા અને સાંકરદા બ્રિજ પર કારનું ટાયર ફાટી જતાં કાર પલટી ખાઇ ગઇ હતી. કારમાં સવાર અમદાવાદના વેજલપુરના 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -
જાંબુવા નદી પરનો બ્રિજ સાંકડો હોવાથી સતત અકસ્માતો થાય છે અને લોકો જીવ ગુમાવે છે

અગાઉ બે યુવાનનાં મોત થયાં હતાં
ઉલ્લેખનીય છે કે 4 મહિના પહેલાં જાંબુવા બ્રિજ પાસે આ સ્થળ પર જ બે યુવાન ઉપર ટ્રકના ટાયર ફરી વળતાં સ્થળ પર જ તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ બનાવમાં એક યુવાન ઉપર એક કરતાં વધુ વાહનનાં પૈડાં ફરી વળતાં મૃતદેહના ફુરચેફુરચા ઊડી ગયા હતા. મૃતદેહના માસના લોચા 10 ફૂટ વિસ્તારમાં પથરાઈ ગયા હતા.

એક મહિલા, એક પુરુષ સહિત ત્રણ લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.

દાદા અને પૌત્રએ જીવ ગુમાવ્યા હતા
5 મહિના પહેલાં વડોદરા જિલ્લાના શિનોરના મિઢોળ ગામથી મારેઠા પરત આવી રહેલા દાદા અને પૌત્રને જાંબુવા બ્રિજ પાસે અકસ્માત નડતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. જાંબુઆ નદી પર આવેલા સાંકડા બ્રિજ પર પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતાં દાદા અને પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. એમાં દાદાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે 6 વર્ષના પૌત્રને એસએસજી હોસ્પિટલમાં ખસેડાતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Exit mobile version